નારી વંદન સપ્તાહ અંતર્ગત વલ્લભ વિદ્યાનગરમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી

આણંદ, 6 ઓગસ્ટ: કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી અને સશક્ત બનવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. બી.એમ. પરમારે મહિલા સશક્તિકરણના મહત્વ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.મહિલાઓને રોજગારી અને સ્વ-રોજગારીની તકો અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર ચેતન મહેતાએ ‘અનુબંધમ પોર્ટલ’ પર નોંધણી પ્રક્રિયા સમજાવી હતી તેમજ 6 નોકરીદાતાઓ દ્વારા 223 ખાલી જગ્યાઓ માટે યોજાનારા ઇન્ટરવ્યૂ અંગે માર્ગદર્શન આપ્યું હતું.લીડ બેંક મેનેજર અલખ નિરંજને RSETI દ્વારા આપવામાં આવતી વિવિધ સ્વ-રોજગારલક્ષી તાલીમ અને ટ્રેડ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન બદલ એજ્યુકેશન કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત વુમન સેલના પ્રોફેસર સાધનાબેન પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જ્યારે અંતે PBSC કાઉન્સેલર શબનમબેન ખલીફાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, DHEW, PBSC, સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ-કર્મચારીઓ, કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીનીઓ તથા મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    વાસદમાં બાળકીની હત્યા: આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કરતા પોલીસે ચલાવી ગોળી, સારવાર દરમિયાન મોત

    આણંદ: વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના જઘન્ય કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારની પોલીસ સાથે થયેલી અથડામણ બાદ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વાસદમાં બનેલી બાળકીના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *