વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ જઈને દેશમાં સંકટ પેદા કર્યું : કેજરીવાલના પ્રહાર

ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે રાજકોટ વિમાની મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત બદલાવ ઈચ્છે છે અને રાજયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટીનો દેખાવ સારો રહેશે.

બે વર્ષ બાદ રાજયમાં જે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. કેજરીવાલે હાલની પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ખુદ વડાપ્રધાને સંસદમાં કહ્યું છે કે દેશ સંકટમાં છે આપણે જોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો છે.પરંતુ હું પુછવા માંગુ છું કે વડાપ્રધાને ઈઝરાયેલ જવાની જરૂર શું હતી?

ઈરાન આપણુ સારૂ મીત્ર હતું ત્યાંથી ક્રુડતેલ ગેસ બધુ મળતુ હતું. નેતન્યાહૂને ગલે લગાડીને આપણે ઈરાનને દુશ્મન બનાવી દીધુ અને દેશમાં સંકટ પેદા કર્યુ તે માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે.વડાપ્રધાને ખુદ સંસદમાં જે વકતવ્ય આપ્યુ તેનાથી લોકોમાં એક ગભરાટ સર્જાયો છે તે આપણે જોઈ શકીએ છીએ.

  • Related Posts

    ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

    આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા…

    ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

    ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *