CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, આજ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આજે એટલે કે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પહેલા તેઓ સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને બડે હનુમાનજી મંદિરમાં પણ મુલાકાત લેશે અને પૂજા કરશે.પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પાછા ફરશે.

PM મોદીએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંગમ શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મેળા ‘મહાકુંભ’માં ભાગ લીધો હતો અને પવિત્ર સંગમ નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. પીએમ મોદીએ શાહી સ્નાનની તારીખો પસંદ કરવાને બદલે 5 ફેબ્રુઆરી શા માટે પસંદ કરી હતી.

પોષ પૂર્ણિમા અને બસંત પંચમીનો દિવસ પસંદ કરવાને બદલે વડાપ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરીએ સ્નાન કરવાનો નિર્ણય લીધો કારણ કે આ દિવસે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • News Reporter

    Related Posts

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *