CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, આજ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આજે એટલે કે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પહેલા તેઓ સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને બડે હનુમાનજી મંદિરમાં પણ મુલાકાત લેશે અને પૂજા કરશે.પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પ્રયાગરાજમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પાછા ફરશે.

PM મોદીએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંગમ શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મેળા ‘મહાકુંભ’માં ભાગ લીધો હતો અને પવિત્ર સંગમ નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. પીએમ મોદીએ શાહી સ્નાનની તારીખો પસંદ કરવાને બદલે 5 ફેબ્રુઆરી શા માટે પસંદ કરી હતી.

પોષ પૂર્ણિમા અને બસંત પંચમીનો દિવસ પસંદ કરવાને બદલે વડાપ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરીએ સ્નાન કરવાનો નિર્ણય લીધો કારણ કે આ દિવસે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *