પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીનું રૂ.10 હજાર કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ પૈસા

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા શાહ સાથે થયા છે. મળતી માહિતી મુજબ, આ લગ્ન પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતરિવાજો સાથે થયા હતા.ન્યૂઝ એજન્સી ANI એ અહેવાલ આપ્યો છે કે ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પર 10,000 કરોડ રૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું હતું. આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે હશે. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના પુત્રના લગ્નની માહિતી આપી છે.

ગૌતમ અદાણીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભગવાનની કૃપાથી જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારોહ હતો. તેથી અમે બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માંગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી આશીર્વાદ અને પ્રેમ માંગુ છું.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *