પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીનું રૂ.10 હજાર કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ પૈસા

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા શાહ સાથે થયા છે. મળતી માહિતી મુજબ, આ લગ્ન પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતરિવાજો સાથે થયા હતા.ન્યૂઝ એજન્સી ANI એ અહેવાલ આપ્યો છે કે ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પર 10,000 કરોડ રૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું હતું. આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે હશે. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના પુત્રના લગ્નની માહિતી આપી છે.

ગૌતમ અદાણીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભગવાનની કૃપાથી જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારોહ હતો. તેથી અમે બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માંગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી આશીર્વાદ અને પ્રેમ માંગુ છું.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *