અદાણી દ્વારા”CNG કાર અને રિક્ષા મુસાફરી મોંઘી, જાણો નવા ભાવ અને અસર”

સીએનજી કાર અને રિક્ષા ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવ વધાર્યા છે. સીએનજી ના ભાવ વધતા રિક્ષા ભાડું પણ વધશે. તો સીએનજી કાર ચાલકો માટે વાહન ચલાવવું મોંઘુ પડશે. નોંધનિય છે કે, ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધી છે ત્યારે સીએનજી પણ મોંઘી થતા કાર ચાલકોને બેવડો માર પડી રહ્યો છે.

અદાણી CNG કિંમત વધી

અમદાવાદમાં ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ અમદાવાદમાં સીએનજીની નવી કિંમત 83.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જે લોકો પહેલાથી જ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે તેઓ રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઓટો રિક્ષા, ટેક્સીઓ અને ખાનગી વાહનોમાં સીએનજીનો ઉપયોગ થાય છે. આનો અર્થ એ થયો કે સામાન્ય લોકો માટે દરરોજ અવર જવર કરવી હવો મોંઘી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશભરમાં ઈઝરાયલ ઇરાન યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર કોમર્શિયલ એલપીજીના ભાવ પર પડી હતી. 1 એપ્રિલ, 2026ના રોજ સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

  • Related Posts

    હકાભા ગઢવીનો મોટો દાવો: “નિલેશ એરવાડિયા ખેડૂતો સાથે ગદ્દારી કરે છે, મને 1 કરોડની ઓફર કરવામાં આવી”

    મોરબી જિલ્લાના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ દાવો કર્યો કે નિલેશ…

    બિનખેતી જમીનો માટે મોટો નિર્ણય: હવે નવા પ્રોપર્ટી કાર્ડ જ અંતિમ દસ્તાવેજ, ગામ નમૂના નં. 7 થશે બંધ

    ગાંધીનગર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 29 જૂન, 2026ના પરિપત્ર દ્વારા રાજ્યભરમાં ગામ નમૂના નં.-7 (VF-7)ના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *