હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું. જો કે મોટી દુર્ઘટના ટળી હતી.ઇન્ડિગોનું મુંબઇ જતું વિમાન ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું તેવા સમયે એર ઇન્ડિયાના વિમાને ખોટો ટર્ન લઇ લીધો હતો. બંને વિમાનો 200 મીટરના અંતરે થંભી ગયા હતા. એટલે કોઇ નુકશાની કે અન્ય કોઇ દુર્ઘટના અટકી હતી.એર ઇન્ડિયાએ નિવેદનમાં ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે મુંબઇથી આવેલી ફ્લાઇટે લેન્ડ થયા બાદ પાર્ક થતી વેળાએ ખોટો ટર્ન લઇ લીધો હતો. વિમાનને જો કે ફરી પાર્કિંગ સ્થળે લઇ જવાયું હતું.

મુસાફરોની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ થવાનો સવાલ નથી. નિયમનકારી તંત્રને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઇન્ડિગો દ્વારા એમ કહેવાયું છે કે મુંબઇની ફ્લાઇટ ટેકઓકની તૈયારી કરી રહ્યું હતું.જ્યારે એકાએક અન્ય વિમાને કોટો વળાંક લઇ લીધો હતો. જો કે, બંને વિમાનો સુરક્ષિત અંતરે થંભી ગયા આ પછી બીજુ વિમાન ખસેડી લેવાયું હતું અને ઇન્ડિગોનું વિમાન ઉડાન ભરી શક્યું હતું. આ ઘટનાક્રમથી ઉડાનમાં વિલંબ થયો હતો.

  • Related Posts

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    નારી વંદન સપ્તાહ અંતર્ગત વલ્લભ વિદ્યાનગરમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી

    આણંદ, 6 ઓગસ્ટ: કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *