અદાણી દ્વારા”CNG કાર અને રિક્ષા મુસાફરી મોંઘી, જાણો નવા ભાવ અને અસર”

સીએનજી કાર અને રિક્ષા ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવ વધાર્યા છે. સીએનજી ના ભાવ વધતા રિક્ષા ભાડું પણ વધશે. તો સીએનજી કાર ચાલકો માટે વાહન ચલાવવું મોંઘુ પડશે. નોંધનિય છે કે, ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધી છે ત્યારે સીએનજી પણ મોંઘી થતા કાર ચાલકોને બેવડો માર પડી રહ્યો છે.

અદાણી CNG કિંમત વધી

અમદાવાદમાં ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ અમદાવાદમાં સીએનજીની નવી કિંમત 83.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જે લોકો પહેલાથી જ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે તેઓ રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઓટો રિક્ષા, ટેક્સીઓ અને ખાનગી વાહનોમાં સીએનજીનો ઉપયોગ થાય છે. આનો અર્થ એ થયો કે સામાન્ય લોકો માટે દરરોજ અવર જવર કરવી હવો મોંઘી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશભરમાં ઈઝરાયલ ઇરાન યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર કોમર્શિયલ એલપીજીના ભાવ પર પડી હતી. 1 એપ્રિલ, 2026ના રોજ સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

  • Related Posts

    ખંભાતમાં કેમિકલ ગેસ પ્રદૂષણ મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર

    ખંભાત: ખંભાત તાલુકાના કલમસર વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે…

    અંબાજીમાં ૨૦થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે

    મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ બનાસકાંઠા: શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *