ડાયાબિટીસના દર્દીઓને રાહત : ઘાવને ભરવામાં મદદરૂપ દવાની શોધ

ન્યુયોર્ક (અમેરિકા):અહીંના સંશોધકોએ શરીરમાં ડાયાબિટીસથી થનાર નુકસાનને ઘટાડનાર એક નવી પધ્ધતિ શોધી છે. એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રેઝ 406 આર નામનો એક નાનો અણુ યૌગિક શોધ્યો છે. આ યૌગિકથી બનેલી દવા ઘાવ જલદી ભરવા અને સોજાને ખતમ કરવામાં મદદ કરે છે. તેમનો દાવો છે કે આ નવું કમ્પાઉન્ડ બે હાનિકારક પ્રોટીનોને જોડવાથી રોકે છે. જેથી પેશી સુરક્ષિત રહે છે અને ઘાવ જલદી કરાય જાય છે.

ટાઈપ 1 અને 2 ડાયાબિટીસ માટે કારગત

સંશોધકો અનુસાર આ નવી દવા ટાઈપ 1 અને ટાઈપ 2 બન્ને પ્રકારના ડાયાબિટીસમાં કામ કરે છે. સામાન્ય દવાઓ સુગર ઘટાડે છે. પણ આ દવા નુકશાન પહોંચાડનારા તત્વોને જ બ્લોક કરે છે. આથી ડાયાબિટીસની જટિલતાના નવા રસ્તા ખુલે છે. આ સંશોધન સેલ કેમિકલ બાયોલોજી જર્નલમાં છવાય છે માનવ કોશિકાઓ અને ઉંદર પર ટેસ્ટના કમ્પાઉન્ડે ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસની તરત અને લાંબા સમયની સમસ્યાને ઘણી ઘટાડી છે.

ડો. એન મેરી સ્મિટે કહ્યું હતું કે માનવ ટ્રાયલમાં આ દવા સફળ થઈ તો તેના ઘણા ફાયદા થશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓ છે, જયારે પૂરી દુનિયામાં 60 કરોડ લોકો ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત પ્રિ-ડાયાબિટીઝ 13.6 કરોડ લોકો છે. જેમને ભવિષ્યમાં ડાયાબિટીસનો ખતરો છે.

  • Related Posts

    સારો મૂડ અને સંતુલિત ભોજન: વજન ઘટાડવાનો સરળ રસ્તો

    નવી દિલ્હી : હસી-ખુશી અને સ્મિત સાથે ભોજન કરવાથી માત્ર આનંદ જ નથી મળતો, પરંતુ તે તમારા વજનને પણ નિયંત્રિત રાખે છે. મિશિગન યુનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભોજન…

    ઓછી મલાઈમાંથી પણ વધારે ઘી કાઢવું હોય તો આ સરળ અને કામની રીત અજમાવો

    બજારમાં ઉપલબ્ધ ભેળસેળયુક્ત ઘી ખરીદવા કરતાં ઘરે જાતે ઘી બનાવવું વધુ સારું છે. ભેળસેળયુક્ત ઘીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે. તમારી માહિતી માટે મલાઈમાંથી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *