ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, હાઇકોર્ટે ફગાવી દીધી આ અરજી

અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ હવે તથ્ય પટેલ સામે ગંભીર કલમ યથાવત રહેશે અને દોષી ઠેરવાય તો તેને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.

નોંધનીય છે કે, હાઇકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મોટો રાહતભર્યો નિર્ણય આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલે પણ પોતાની વિરુદ્ધ લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી લીધી છે. આ નિર્ણય બાદ હવે પ્રજ્ઞેશ પટેલ પરની ગંભીર કલમ દૂર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત પછી તથ્ય પટેલ પર ગંભીર આરોપો મૂકાયા હતા.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *