અમદાવાદની રિક્ષાઓને મળ્યો એક ખાસ નંબર, જાણો શું છે આ સ્ટિકરના ફાયદા

અમદાવાદમાં છેલ્લા 4-5 દિવસથી ઓટો રિક્ષા પર એક નંબર જોવા મળી રહ્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આ ઓટોરિક્ષા પર શેનો નંબર લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરને રિક્ષામાં બેસાડીને લૂંટ સહિતનાં અનેક ગુનાઓ વધી રહ્યા છે. જેને રોકવા માટે અમદાવાદ પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે.

અમદાવાદની આટોરિક્ષામાં કેમ લગાવવામાં આવ્યા સ્ટિકર?

અમદાવાદમાં આવેલી તમામ ઓટોરિક્ષાઓને એક નંબર આપી તેરિક્ષા ચાલકનું નામ,સરનામું, મોબાઈલ નંબર, માલિકનું નામ વિગતો મેળવી રિક્ષામાં સ્ટિકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો તમારે પણ ઓટોરિક્ષાનો ઉપયોગ મુસાફરી કરવા સમયે કરો છો તો તમારે પણ સ્ટિકર વરગની રિક્ષામાં બેસવાનું હવેથી ટાળવું જોઈએ. ઓટોરિક્ષામાં સ્ટિકર લગાવવાથી પોલીસને આંગળીનાં ટેરવે તે રિક્ષાચાલકની માહિતી મળી જાય છે. રિક્ષામાં આગળ અને પાછળની તરફ આ સ્ટિકર લગાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રિક્ષા કે પછી રિક્ષાચાલક જે વિસ્તારનો હોય તે પોલીસ સ્ટેશનનું નામ અને તેની સાથે એક નંબર લખવામાં આવે છે. નંબરના આધારે પોલીસ રિક્ષા ચાલક અને માલિકનો તમામ ડેટા ભેગો કરે છે. જેના કારણે ક્યારે પણરિક્ષામાં ચોરી કે લૂંટનો બનાવ બને છે તો પોલીસ આ નંબરની મદદથી આરોપી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં રહો છો અને રિક્ષામાં મુસાફરી કરવાનું થાય છે તો તમારે સ્ટિકર લગાવેલી રિક્ષામાં જ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *