રેવડી બજારની અનેક દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત એવા રેવડી બજાર સ્થિત દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સિંધી માર્કેટની 30 જેટલી દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રેવડી બજારમાં મોટાભાગની દુકાનો કાપડની હોવાથી દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ વધુ વિકરાળ બની જતાં લોકો દુકાનોમાંથી નુકશાન ઓછું થાય તે રીતે કાપડ સહિતની વસ્તુઓ ખાલી કરવા લાગ્યા હતા.

ફાયર બ્રિગેડની જણાવ્યું કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બપોરે 12.30 વાગ્યાની આસપાસ દુકાનોમાં આગ લાગી હતી.પ્રાથમિક અહેવાલો અનુસાર શોર્ટ સર્કિટને લાગેલી આગ પ્રસરી જતાં ભયાનક બની હતી. આગમાં 1.50 કરોડનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો અંદાજ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો છાપરા પર ચડીને પાણીનો મારો ચલાવ્યો હતો.

  • Related Posts

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    સુપ્રીમ કોર્ટે આસારામ બાપુના આશ્રમની જમીન સામેની ગુજરાત સરકારની કાર્યવાહી પર રોક લગાવી

    સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતમાં આસારામ બાપુના આશ્રમની જમીનોને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તાત્કાલિક જપ્તી અને ખાલી કરાવવાની કાર્યવાહીથી રક્ષણ આપ્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *