રેવડી બજારની અનેક દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત એવા રેવડી બજાર સ્થિત દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સિંધી માર્કેટની 30 જેટલી દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રેવડી બજારમાં મોટાભાગની દુકાનો કાપડની હોવાથી દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ વધુ વિકરાળ બની જતાં લોકો દુકાનોમાંથી નુકશાન ઓછું થાય તે રીતે કાપડ સહિતની વસ્તુઓ ખાલી કરવા લાગ્યા હતા.

ફાયર બ્રિગેડની જણાવ્યું કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બપોરે 12.30 વાગ્યાની આસપાસ દુકાનોમાં આગ લાગી હતી.પ્રાથમિક અહેવાલો અનુસાર શોર્ટ સર્કિટને લાગેલી આગ પ્રસરી જતાં ભયાનક બની હતી. આગમાં 1.50 કરોડનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો અંદાજ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો છાપરા પર ચડીને પાણીનો મારો ચલાવ્યો હતો.

  • Related Posts

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ.

    દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ ઈન્ડિયા-આફ્રિકા સમિટને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિટમાં 10 થી વધુ દેશોના વડાઓ ભાગ લેવાના હતા, પરંતુ અચાનક પરિસ્થિતિઓને કારણે કાર્યક્રમ રદ કરાયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *