પંજાબનાં પૂર અસરગ્રસ્તોની વહારે અક્ષયકુમાર : 5 કરોડનું દાન જાહેર કર્યું.

પંજાબમાં હાલ સતત ભારે વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે.ત્યારે પૂર અસરગ્રસ્તોની વહારે બોલીવુડ એકટર અક્ષયકુમાર આવ્યો છે.પૂરના અસરગ્રસ્તો માટે અક્ષયકુમારે 5 કરોડ રૂપિયાની રાહત અસરગ્રસ્તોના પુનરૂત્થાન માટે જાહેર કરી છે.અક્ષયકુમારે સમાચારોને પુષ્ટિ આપતા કહ્યું હતું કે હા,પંજાબમાં પૂરનો ભોગ બનેલા લોકો માટે રાહત સામગ્રી ખરીદવા માટે પાંચ કરોડ રૂપિયા આપ્યા છે.પણ હું કોઈને દાન શા માટે કરૂ? કુદરતે મને કોઈની મદદ કરવાની તક આપી છે. મારા માટે આ એક સેવા કાર્ય છે. હું મારૂ નાનકડુ યોગદાન આપું છું.

હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે પંજાબના મારા ભાઈ અને બહેનો માટે જે કુદરતી આફત આવી છે. તેમાથી તરત મુકત થાય. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અક્ષયકુમારે આપતિઓ વખતે માનવતા દાખવી છે. ચેન્નાઈમા પુર કે કોરોના મહામારી વખતે પણ તેણે અસરગ્રસ્તોને મદદ કરી હતી.

  • Related Posts

    સલમાન ખાને કર્યો હતો રણવીર સિંહ અને ફરહાન વચ્ચે સમાધાનનો પ્રયાસ? ચોંકાવનારી હકીકત સામે આવી ગઈ!

    મુંબઈઃ રણવીર સિંહે ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-3’ માંથી અણધારી એક્ઝિટ લઈ લેતા આ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી રણવીર સિંહે આ ફિલ્મ છોડી છે ત્યારથી એની મુશ્કેલીઓમાં વધારો…

    ‘ચાંદમેરા દિલ’ ફિલ્મમાંથી kissing scene કાપાયો, સેન્સર બોર્ડનો નિર્ણય ચર્ચામાં

    બોલિવૂડ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ હાલમાં ચર્ચામાં આવી છે. ફિલ્મના ટ્રેલર અને રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડ દ્વારા તેમાં દર્શાવવામાં આવેલ kissing scene પર કાપ મૂકવામાં આવ્યો છે. માહિતી મુજબ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *