ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, હાઇકોર્ટે ફગાવી દીધી આ અરજી

અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ હવે તથ્ય પટેલ સામે ગંભીર કલમ યથાવત રહેશે અને દોષી ઠેરવાય તો તેને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.

નોંધનીય છે કે, હાઇકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મોટો રાહતભર્યો નિર્ણય આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલે પણ પોતાની વિરુદ્ધ લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી લીધી છે. આ નિર્ણય બાદ હવે પ્રજ્ઞેશ પટેલ પરની ગંભીર કલમ દૂર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત પછી તથ્ય પટેલ પર ગંભીર આરોપો મૂકાયા હતા.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *