ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, હાઇકોર્ટે ફગાવી દીધી આ અરજી

અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ હવે તથ્ય પટેલ સામે ગંભીર કલમ યથાવત રહેશે અને દોષી ઠેરવાય તો તેને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.

નોંધનીય છે કે, હાઇકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મોટો રાહતભર્યો નિર્ણય આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલે પણ પોતાની વિરુદ્ધ લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી લીધી છે. આ નિર્ણય બાદ હવે પ્રજ્ઞેશ પટેલ પરની ગંભીર કલમ દૂર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત પછી તથ્ય પટેલ પર ગંભીર આરોપો મૂકાયા હતા.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *