અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી હતી કે હુક્કાબાર પરમીશન વિના ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ મહંમદપુરા રોડ પર એસ જી હાઇવે નજીક બુ્રરોસ્ટ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાની માહિતી સરખેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને સ્થળ પરથી તપાસ કરતા કેફેમાં ખાસ બનાવવામાં આવેલી જગ્યા પરથી નિકોટીનની અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે કેફેના સંચાલક જસ્ટીન પરેરા ( ઇસાની પાર્ક સોસાયટી, આણંદ)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મહિને ૫૦ હજાર રૂપિયાના ભાડેથી ચલાવતો હતો. આ સાથે કેફેમાં ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ચાવડા, હમીદ અને વિનય તિવારી નામના વ્યક્તિઓની ભાગીદારી હતી. આ અંગે વધુ માહિતી આપતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ જણાવ્યું કે હુક્કાબાર પરવાનગી વિના ધમધમતુ હતું. ત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *