અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી હતી કે હુક્કાબાર પરમીશન વિના ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ મહંમદપુરા રોડ પર એસ જી હાઇવે નજીક બુ્રરોસ્ટ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાની માહિતી સરખેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને સ્થળ પરથી તપાસ કરતા કેફેમાં ખાસ બનાવવામાં આવેલી જગ્યા પરથી નિકોટીનની અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે કેફેના સંચાલક જસ્ટીન પરેરા ( ઇસાની પાર્ક સોસાયટી, આણંદ)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મહિને ૫૦ હજાર રૂપિયાના ભાડેથી ચલાવતો હતો. આ સાથે કેફેમાં ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ચાવડા, હમીદ અને વિનય તિવારી નામના વ્યક્તિઓની ભાગીદારી હતી. આ અંગે વધુ માહિતી આપતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ જણાવ્યું કે હુક્કાબાર પરવાનગી વિના ધમધમતુ હતું. ત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *