HMPV વાયરસને લઈ ગુજરાત સરકારની એડવાઈઝરી, જાણો બચવા શું કરવું?

હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીએ ભારતમાં દસ્તક આપી છે. ગુજરાતના અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ સામે આવ્યો છે. જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીએ ભારતમાં દસ્તક આપી છે. આના ત્રણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. કર્ણાટકમાં બે કેસ મળી આવ્યા છે, ત્રીજો કેસ ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને HMPVથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

ગુજરાત સરકારની એડવાઈઝરી

દેશ અને દુનિયાભરમાં બગડતી પરિસ્થિતિને જોઈને હવે ગુજરાત સરકાર પણ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા HMPV અંગે લોકો માટે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરી જણાવે છે કે લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

HMPV થી બચવા શું કરવું?

• ખાંસી કે છીંકતી વખતે રૂમાલ સાથે રાખવો અને તેનો ઉપયોગ કરવો.

• સાબુ અને પાણીથી નિયમિતપણે હાથ ધોવા. આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું શરૂ કરો.

• ખાંસી અને શરદીથી પ્રભાવિત કોઈપણ વ્યક્તિએ જાહેર સ્થળોથી દૂર રહેવું.

• પુષ્કળ પાણી પીઓ અને પૌષ્ટિક ખોરાક ખાઓ. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પૂરતી ઊંઘ લો.

• આ દિવસોમાં અન્ય લોકો સાથે હાથ મિલાવવાનું બંધ કરો. એક જ ટિશ્યુ પેપર કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરશો નહીં.

• ભીડભાડવાળી જગ્યાએ ન જાવ. જાહેર સ્થળોએ બિલકુલ થૂંકશો નહીં.

• જો કોઈ પ્રકારનું ઈન્ફેક્શન દેખાય તો જાતે જ દવા શરૂ ન કરો અને ડૉક્ટરનો સંપર્ક કરો.

આરોગ્ય મંત્રીએ શું કહ્યું?

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે જે બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તે રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવ્યો હતો. તેમણે કહ્યું કે આના કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર આ વાયરસ સામે સંપૂર્ણ રીતે તૈયાર છે. અત્યારે પરિસ્થિતિ કોવિડ જેટલી ખરાબ નથી પરંતુ રાજ્ય સરકાર અત્યંત ગંભીર પરિસ્થિતિમાં પણ કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતમાં પણ હોસ્પિટલોનો પૂરેપૂરો જથ્થો છે અને તે હોસ્પિટલોમાં બેડ પણ છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પણ આ બાબતે ચિંતિત છે અને લોકોએ શક્ય તેટલું SOPનું પાલન કરવું જોઈએ.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *