અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદ મુજબ, સગીરા વારંવાર બીમાર પડતી હોવાથી તેના માતા-પિતા તેને તાંત્રિક વિધિ કરાવવા માટે ભુવા ચંદ્રેશ પંચાલ પાસે લઈ ગયા હતા. આ દરમિયાન પરિવારજનોને બહાર મોકલી સગીરાને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ પરિવારજનોને થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ કરી રહી છે.





