બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં — અયોધ્યામાં વધુ જમીન ખરીદી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ તેમને 10617 વર્ગ મીટર જમીન 25 કરોડ રૂપિયામાં વેચી છે.અમિતાભ બચ્ચન તરફથી સબરજીસ્ટ્રાર કાર્યાલયમાં પાવર ઓફ એટર્ની રાજેશ ઋષિદેવ યાદવે હસ્તાક્ષર કર્યા. જયારે વિક્રેતા કંપની તરફથી અધિકૃત પ્રતિનિધિ પવન શારદાએ રજીસ્ટ્રી કરી.

ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મસ્તરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જમીન 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદાઈ છે. જમીનના આ સોદા માટે એક કરોડ 76 લાખ 40 હજાર સ્ટેમ્પ ડયુટી જમા કરાઈ છે.રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2024માં આ જમીન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી

    આણંદ: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે આંગણવાડી કેન્દ્રોને સુંદર રોશની અને…

    પેટલાદના શાહપુર અને પાળજમાં પૂર પીડિતો તથા વીમા લાભાર્થીઓને રૂ. ૧૨.૯૮ લાખથી વધુની સહાયના ચેક વિતરણ

    આણંદ : પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તેમજ દૂધ મંડળીની અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *