અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી

અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક રાખતી અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ જ્વેલર્સ-શોપમાં શાતિર મહિલા પ્રવીણાએ ચોરી કરીને હાહાકાર મચાવી દીધો હતો.

પ્રવીણા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક કરીને રાખતી હતી. જ્યારે પણ તે જ્વેલર્સ શોપમાં ચોરી કરવા માટે જાય ત્યારે બગસરાની વીંટી સાથે લઈને જતી હતી.સેલ્સમેન વીંટી બતાવે ત્યારે પ્રવીણા નજર ચૂકવીને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને સોનાની વીંટી લઈ લેતી હતી. એ બાદ વીંટી પસંદ નથી આવી એવું કહીને પ્રવીણા જતી રહેતી હતી. જ્યારે શોપમાલિક કે કર્મચારીઓને ખબર પડે ત્યાં સુધીમાં પ્રવીણા દૂર નીકળી જતી હતી.પોલીસે બાતમી આધારે મહિલાને નરોડાથી ઝડપી પાડી.એે દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સની શોપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા જાંબલી કલરનો ડ્રેસ પહેરીને નરોડા સ્મશાનની પાછળના ભાગે ઊભી છે.

બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવીણા સેનવા અને તે હાલ વડોદરા ખાતે આવેલા ઔડાના મકાનમાં રહેતી હોવાનું ખૂલ્યું હતું.તે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબલિયાળા ગામની રહેવાસી છે. પોલીસ મહિલાની પૂછપરછ કરતાં તેણે પાંચ મહિના પહેલાં વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સોનાની વીંટીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રવીણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *