અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને તોડવા પર રોક લગાવવા સુપ્રીમનો ઈન્કાર

અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને આંશિક ધ્વસ્ત કરવા સામે રોક લગાવવાની મસ્જિદ ટ્રસ્ટની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. મસ્જીદ પાસેનો રસ્તો પહોળો કરવાની યોજના અંતર્ગત મસ્જીદનો આંશિક ધ્વસ્ત થવાનો આ મામલો હતો.

આદેશમાં સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં રજુ દલીલો અને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી સ્થિતિ મુજબ, મસ્જિદના કેટલાક ભાગને રસ્તો પહોળો કરવામાં ધ્વસ્ત કરવામાં આવી રહ્યો છે અને મુખ્ય રચનાને છેડવામાં નથી આવી, એટલે અમને આ મામલે વચગાળાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી દેખાતું, ખાસ કરીને મંદિર, વાણિજિયક અને આવાસીય સંપતિ પણ રસ્તો પહોળો કરવા માટે ધ્વસ્ત કરાઈ રહી છે.

કોર્ટ મસ્જીદ ટ્રસ્ટની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં હાઈકોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં સાબરમતી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો પહોળો કરવા માટે મસ્જીદ પરીસરના એક ભાગને ધ્વસ્ત કરવાની મંજુરી અપાઈ હતી.ગુજરાત હાઈકોર્ટે 3 ઓકટોબર 2025ના અમદાવાદ નગર નિગમને મસ્જીદ પાસે આંશિક ધ્વસ્તીકરણ રોકવાનો ઈન્કાર કર્યો હતો. આજે મસ્જીદ ટ્રસ્ટ તરફથી એડવોકેટ વારિષા ફરાસતે દાવો કર્યો હતો કે મસ્જીદ પુરી રીતે સુરક્ષિત નહીં રહે અને તેમણે મસ્જીદ 400 વર્ષ જૂની હોવા પર જોર દીધું હતું.

જસ્ટીસ સુર્યકાંતે કહ્યું હતું કે માર્ગનું પહોળું કરવું સંપૂર્ણ શહેરના હિતમાં છે. મસ્જીદ પુરી રીતે સુરક્ષિત છે. જસ્ટીસે વધુમાં કહ્યું હતું કે રસ્તો પહોળો કરવા એક મંદિર અને વાણિજયીક સ્થાન અને આવાસીય સ્થળ પણ ધ્વસ્ત કરાયા છે, અને ધ્યાન આપો કે આ કોઈ વળતર આપ્યા વિના ધ્વસ્ત કરાયું, પણ તમારી મસ્જીદ એક ખુલુ સ્થાન અને પ્લેટફોર્મ છે. જસ્ટીસ સુર્યકાંતે કહ્યું હતું- વળતર માટે વકફ બોર્ડે પોતાના અધિકાર સાબીત કરવો પડશે અને તે વળતરનું હકદાર હશે તો મળશે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *