નેપાળના નવા PMના પતિએ એક સમયે વિમાનનું અપહરણ કર્યુ હતુ.

નેપાળ હિંસાની વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું છે, તે નામ છે સુશીલા કાર્કી… નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ગાયબ થયા બાદ સુશીલા કાર્કીનું નામ નેપાળના વચગાળાના પ્રમુખ તરીકે સામે આવ્યું છે.

11 જૂલાઈ 2016ના રોજ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનેલા સુશીલાએ પોતાના એક વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સાહસી નિર્ણયો લીધા હતા, જેના કારણે દેશના લોકોની નજરમાં તેઓ નાયિકા બની ગયા. પણ આ વિડંબના નહીં તો બીજું શું કહીએ કે તે એમની પત્ની છે, જે 1973માં પ્લેન હાઈજેકમાં સામેલ હતા અને આ પ્લેનમાં બોલિવૂડની સુંદર એક્ટ્રેસ માલા સિન્હા પણ બેઠી હતી.

માલા સિન્હા હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર એક્ટ્રેસમાંથી એક રહી છે. તે એક સમયે એવી ઘટનામાંથી પસાર થઈ હતી, જે કોઈ બોલિવૂડ સીનથી કમ નહોતો. વર્ષ 1973નું અને જગ્યા હતી નેપાળની. રોયલ નેપાળ એરલાઈન્સનું વિમાન બિરાટનગરથી કાઠમંડુ જઈ રહ્યું હતું, જેમાં માલા સિન્હા પણ બેઠા હતા.

અચાનક આ વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે આ હાઈજેકિંગ પાછળ કોઈ આતંકી નહીં, પણ નેપાળી કોંગે્રસના યુવા નેતા દુર્ગા પ્રસાદ સુબેદી હતા.

હકીકતમાં જોઈએ તો, 10 જૂન, 1973ના રોજ વિરાટનગરથી કાઠમંડુ જતી વખતે રોયલ નેપાલ એરલાઈન્સના એક વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું, આ વિમાનમાં 19 મુસાફરો બેઠા હતા. આ 19 યાત્રીઓમાંથી એક એક્ટ્રેસ માલા સિન્હા પણ હતા. આ હાઈજેકિંગે ન ફક્ત નેપાળના રાજકારણ પણ બોલિવૂડની દુનિયામાં પણ સનસનાટી ફેલાવી દીધી હતી.

હાઈજેકનું મુખ્ય કારણ એ 30 લાખ રૂપિયા હતા, જે વિરાટનગરની બેન્કમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા. આ હાઈજેક તત્કાલિન પ્રધાનમંત્રી ગિરિજા પ્રસાદ કોઈરાલાના નેતૃત્વમાં થયા હતા, જે રાજાશાહી વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ માટે ધન એકઠું કરવા માગતા હતા.

વિમાનને બિહારથી ફોબ્ર્સગંજમાં ઉતારવામાં આવ્યું અને પૈસાને કારથી દાર્જિલિંગ લઈ જવામાં આવ્યા. સુબેદી અને બીજા અપહરણકર્તાઓને બાદમાં મુંબઈમાં ધરપકડ કર્યા અને 1975માં ઈમરજન્સી દરમ્યાન તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *