નેપાળના નવા PMના પતિએ એક સમયે વિમાનનું અપહરણ કર્યુ હતુ.

નેપાળ હિંસાની વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું છે, તે નામ છે સુશીલા કાર્કી… નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ગાયબ થયા બાદ સુશીલા કાર્કીનું નામ નેપાળના વચગાળાના પ્રમુખ તરીકે સામે આવ્યું છે.

11 જૂલાઈ 2016ના રોજ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનેલા સુશીલાએ પોતાના એક વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સાહસી નિર્ણયો લીધા હતા, જેના કારણે દેશના લોકોની નજરમાં તેઓ નાયિકા બની ગયા. પણ આ વિડંબના નહીં તો બીજું શું કહીએ કે તે એમની પત્ની છે, જે 1973માં પ્લેન હાઈજેકમાં સામેલ હતા અને આ પ્લેનમાં બોલિવૂડની સુંદર એક્ટ્રેસ માલા સિન્હા પણ બેઠી હતી.

માલા સિન્હા હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર એક્ટ્રેસમાંથી એક રહી છે. તે એક સમયે એવી ઘટનામાંથી પસાર થઈ હતી, જે કોઈ બોલિવૂડ સીનથી કમ નહોતો. વર્ષ 1973નું અને જગ્યા હતી નેપાળની. રોયલ નેપાળ એરલાઈન્સનું વિમાન બિરાટનગરથી કાઠમંડુ જઈ રહ્યું હતું, જેમાં માલા સિન્હા પણ બેઠા હતા.

અચાનક આ વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે આ હાઈજેકિંગ પાછળ કોઈ આતંકી નહીં, પણ નેપાળી કોંગે્રસના યુવા નેતા દુર્ગા પ્રસાદ સુબેદી હતા.

હકીકતમાં જોઈએ તો, 10 જૂન, 1973ના રોજ વિરાટનગરથી કાઠમંડુ જતી વખતે રોયલ નેપાલ એરલાઈન્સના એક વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું, આ વિમાનમાં 19 મુસાફરો બેઠા હતા. આ 19 યાત્રીઓમાંથી એક એક્ટ્રેસ માલા સિન્હા પણ હતા. આ હાઈજેકિંગે ન ફક્ત નેપાળના રાજકારણ પણ બોલિવૂડની દુનિયામાં પણ સનસનાટી ફેલાવી દીધી હતી.

હાઈજેકનું મુખ્ય કારણ એ 30 લાખ રૂપિયા હતા, જે વિરાટનગરની બેન્કમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા. આ હાઈજેક તત્કાલિન પ્રધાનમંત્રી ગિરિજા પ્રસાદ કોઈરાલાના નેતૃત્વમાં થયા હતા, જે રાજાશાહી વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ માટે ધન એકઠું કરવા માગતા હતા.

વિમાનને બિહારથી ફોબ્ર્સગંજમાં ઉતારવામાં આવ્યું અને પૈસાને કારથી દાર્જિલિંગ લઈ જવામાં આવ્યા. સુબેદી અને બીજા અપહરણકર્તાઓને બાદમાં મુંબઈમાં ધરપકડ કર્યા અને 1975માં ઈમરજન્સી દરમ્યાન તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *