નાળિયેરમાં સીધી સ્ટ્રો રાખીને પાણી કયારેય ન પીવું જોઈએ !

નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગનાં લોકો નાળિયેરમાં સીધા સ્ટ્રો મૂકીને પાણી પીવે છે.જો કે આમ કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.નાળિયેરની અંદર ફૂગ હોય શકે છે, જે લોકોને બીમાર કરી શકે છે.

લોકો રસ્તાની બાજુમાં નાળિયેરનાં સ્ટોલ પર નાળિયેરનું પાણી પીએ છે.મોટાભાગનાં લોકો નાળિયેર કાપીને સીધાં સ્ટ્રો મૂકીને પાણી પીવે છે.લોકો માને છે કે સ્ટ્રોમાંથી નાળિયેર પાણી પીવું વધુ ફાયદાકારક હોઈ શકે છે.

પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે, લોકોએ નાળિયેરમાં સ્ટ્રો નાખીને સીધું નાળિયેર પાણી ન પીવું જોઈએ. હવે સવાલ એ થાય છે કે, નાળિયેર પાણી સીધું સ્ટ્રો મૂકીને કેમ ન પીવું જોઈએ? આખરે, તે સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડે છે? આવો જાણીએ આ વિશે ડાયટિશિયન પાસેથી વિસ્તારથી… નવી દિલ્હીની પીએસઆરઆઈ હોસ્પિટલની સિનિયર ડાયેટિશિયન પૂનમ દુનેજાએ જણાવ્યું હતું કે લોકોએ રસ્તાની બાજુમાં સ્ટ્રો લઈને ઊભાં રહીને નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. તેના બદલે નારિયેળને કાપીને એક ગ્લાસ પાણીમાં કાઢી લો અને પછી તેને ગાળીને પીવું જોઈએ.

વાસ્તવમાં ઘણાં નારિયેળની અંદર ખતરનાક ફંગસ હોય છે અને સ્ટ્રો નાખીને નારિયેળ પાણી પીવાથી તે ફંગસ લોકોનાં શરીરમાં પહોંચી શકે છે. આ ગંભીર એલર્જી, શ્વસન સમસ્યાઓ અને ચેપનું કારણ બની શકે છે. ઘણાં કિસ્સાઓમાં, નાળિયેરની ફૂગથી મૃત્યુ પણ થઈ શકે છે. માટે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ડાયટિશિયને કહ્યું કે નારિયેળ પાણી હંમેશાં ગ્લાસમાં કાઢીને તેને ફિલ્ટર કરીને પીવું જોઈએ. તેનાથી નારિયેળની અંદર જમા થયેલી ગંદકી દૂર થશે અને જો કોઈ ફંગસ હશે તો તે પણ દેખાશે. નારિયેળમાં જો તમને ફંગસ કે કોઈ ગંદકી દેખાય તો તેનું પાણી ન પીવું. આ વાત નાની લાગે છે.

પરંતુ તે લોકોનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. નાળિયેર પાણી પીવું ખૂબ ફાયદાકારક છે અને તે શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બનાવવામાં મદદ કરે છે. જો કે, તેનું સેવન કરતી વખતે બેદરકારી ન રાખવી જોઈએ.

  • Related Posts

    દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

    ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…

    શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે 

    શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *