ટી 20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીથી રમાશે : ફાઈનલ જંગ અમદાવાદમાં રમાવાની શક્યતા

આવતા વર્ષે યોજાનાર 120 વર્લ્ડ કપ 2026 અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે, જેની ફાઈનલ મેચ 8 માર્ચે યોજાવાની ધારણા છે.

આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનીમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય, તો ટુર્નામેન્ટનો ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

T20 વર્લ્ડ કપ 2026ની લડાઈ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. માહિતી મુજબ, ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 8 માર્ચે રમાશે. જો કે, જો પડોશી દેશ ફાઇનલમાં પહોંચી તો T20 વર્લ્ડ કપનો ટાઇટલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

જોકે, જો પાકિસ્તાન ફાઈનલ પહેલા બહાર થઈ જાય છે, તો ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. T20 વર્લ્ડ કપ મેચ ભારતમાં ઓછામાં ઓછા પાંચ અને શ્રીલંકામાં બે સ્થળોએ રમાશે. કુલ 20 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર 8 રાઉન્ડમાં પહોંચશે.

આ પછી, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. ઇટાલીએ પહેલીવાર T20 વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવી છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2026માં ટાઈટલ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાએ 2024માં ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ટાઈટલ જીત્યું હતું.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *