લગ્ન બાદ 6 મહિના દરમિયાન માત્ર 21 દિવસ સાથે રહ્યા, અનુષ્કા શર્મા કર્યો ખુલાસો

દેશના સૌથી પ્રિય અને પ્રખ્યાત પાવર કપલ્સમાંના એક, બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એકબીજા પર પ્રેમ વરસાવવામાં ક્યારેય અચકાતા નથી. તાજેતરમાં વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે પણ આ જ વાત જોવા મળી હતી જેના પછી અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી , જેમાં ભાર મૂક્યો હતો કે તે હંમેશા માટે તેની સૌથી મોટી ચીયરલીડર રહેશે.

લગ્ન અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધવું એ સરળ કાર્ય નથી. અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ એકવાર ખુલાસો કર્યો હતો કે તેમના લગ્નના શરૂઆતના દિવસોમાં તેમના અને વિરાટ કોહલી (Virat Kohli) ના શિડ્યુઅલ કેટલા વ્યસ્ત હતા. તેણે કહ્યું કે તેને થોડો સમય કાઢવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી.

તાજેતરમાં અનુષ્કા શર્માએ વોગ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘લગ્ન બાદ અમે પહેલા છ મહિના દરમિયાન ફક્ત 21 દિવસ સાથે વિતાવ્યા. મેં ગણતરી કરી હતી. વિરાટ કોહલી મેચ માટે બહાર હતો અને અનુષ્કા ફિલ્મના શૂટિંગમાં સતત વ્યસ્ત હતી. આવી સ્થિતિમાં સાથે જમવા માટે સમય કાઢવો એ એક નાની જીત જેવું લાગતું હતું. અનુષ્કાએ કહ્યું, ‘જ્યારે હું તેમને વિદેશમાં મળવા જાઉં છું, ત્યારે તે રજાઓ નથી હોતી, તે ફક્ત સાથે જમવાનું છે. તે સમય ખૂબ જ કિંમતી છે.’

  • Related Posts

    ખલનાયક રિટર્ન્સ: સંજય દત્ત 32 વર્ષ પછી ‘બલ્લુ’ તરીકે વાપસી, ફર્સ્ટ લુક

    મૂળ ફિલ્મ રિલીઝ થયાના 32 વર્ષ પછી અભિનેતા સંજય દત્તે ખલનાયક રિટર્ન્સની સત્તાવાર જાહેરાત કરી છે. 1993 ની આ ક્લાસિક ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનુપમ ખેર, રાખી ગુલઝાર અને જેકી શ્રોફ…

    ધુરંધરનું વિશ્વભરનું કલેકશન ધમાકેદાર – માત્ર 6 દિવસમાં ₹2,000 કરોડની કમાણી!

    ધુરંધર સિરીઝ હવે 2,000 કરોડ રૂપિયાની કમાણી ધરાવતી બની ગઈ છે. આ એકમાત્ર ભારતીય ફ્રેન્ચાઈઝીની ફિલ્મો છે જેની બે ફિલ્મો 500-500 કરોડ ક્લબમાં સામેલ છે અને હજુ ધુરંધર 2 ફિલ્મે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *