પહેલગામ હુમલા મામલે અમિતાભની ચુપ્પી પર ફેન્સ અકળાયા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકો માર્યા જતા આખો દેશ ગુસ્સામાં છે અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનની ચૂપકીદી પર યુઝર્સ આગબબુલા થઈ ગયા છે. જો કે કેટલાક યુઝર્સ અમિતાભના બચાવમાં પણ આવ્યા છે અને કહ્યું છે. ખામોશી પણ ઘણું બધું કહેતી હોય છે.

રાત્રે 1 વાગ્યાને 20 મિનિટે અમિતાભે પોતાના ટવીટર એકાઉન્ટ પર ટવીટના નામે માત્ર ટી-5356 લખ્યુ અને આગળની જગ્યા ખાલી છોડી દીધી હતી. જેને લઈને યુઝર્સને ગુસ્સો આવ્યો હતો.

એક યુઝર્સે લખ્યું- જયાજીએ ફોન છીનવી લીધો શું? પહેલગામ વિષે આગળ ન લખી શકયા?, એક યુઝરે લખ્યું- કાશ્મીરમાં જે થયું તેના પર એક પોસ્ટ નહીં! અન્ય યુઝરે લખ્યું- કયારેક કયારેક બોલી નાખવું જોઈએ, નરસંહાર બાદ ખામોશી સારી નથી.

જો કે અન્ય યુઝર્સે બિગબીનો બચાવ પણ કર્યો છે. એક યુઝર્સે બચાવ કર્યો કે ખામોશી ઘણુ બધું કહે છે. અન્ય ફેન્સે લખ્યું- ખૂબજ દુ:ખદાયક લાગે છે, લાગે છે અમિતાભ સર શબ્દોની કમી પડી ગઈ છે, કદાચ કંઈક લખવા ઈચ્છતા હતા પહેલગામ પર.

  • Related Posts

    ખલનાયક રિટર્ન્સ: સંજય દત્ત 32 વર્ષ પછી ‘બલ્લુ’ તરીકે વાપસી, ફર્સ્ટ લુક

    મૂળ ફિલ્મ રિલીઝ થયાના 32 વર્ષ પછી અભિનેતા સંજય દત્તે ખલનાયક રિટર્ન્સની સત્તાવાર જાહેરાત કરી છે. 1993 ની આ ક્લાસિક ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનુપમ ખેર, રાખી ગુલઝાર અને જેકી શ્રોફ…

    ધુરંધરનું વિશ્વભરનું કલેકશન ધમાકેદાર – માત્ર 6 દિવસમાં ₹2,000 કરોડની કમાણી!

    ધુરંધર સિરીઝ હવે 2,000 કરોડ રૂપિયાની કમાણી ધરાવતી બની ગઈ છે. આ એકમાત્ર ભારતીય ફ્રેન્ચાઈઝીની ફિલ્મો છે જેની બે ફિલ્મો 500-500 કરોડ ક્લબમાં સામેલ છે અને હજુ ધુરંધર 2 ફિલ્મે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *