પહેલગામ હુમલા મામલે અમિતાભની ચુપ્પી પર ફેન્સ અકળાયા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકો માર્યા જતા આખો દેશ ગુસ્સામાં છે અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનની ચૂપકીદી પર યુઝર્સ આગબબુલા થઈ ગયા છે. જો કે કેટલાક યુઝર્સ અમિતાભના બચાવમાં પણ આવ્યા છે અને કહ્યું છે. ખામોશી પણ ઘણું બધું કહેતી હોય છે.

રાત્રે 1 વાગ્યાને 20 મિનિટે અમિતાભે પોતાના ટવીટર એકાઉન્ટ પર ટવીટના નામે માત્ર ટી-5356 લખ્યુ અને આગળની જગ્યા ખાલી છોડી દીધી હતી. જેને લઈને યુઝર્સને ગુસ્સો આવ્યો હતો.

એક યુઝર્સે લખ્યું- જયાજીએ ફોન છીનવી લીધો શું? પહેલગામ વિષે આગળ ન લખી શકયા?, એક યુઝરે લખ્યું- કાશ્મીરમાં જે થયું તેના પર એક પોસ્ટ નહીં! અન્ય યુઝરે લખ્યું- કયારેક કયારેક બોલી નાખવું જોઈએ, નરસંહાર બાદ ખામોશી સારી નથી.

જો કે અન્ય યુઝર્સે બિગબીનો બચાવ પણ કર્યો છે. એક યુઝર્સે બચાવ કર્યો કે ખામોશી ઘણુ બધું કહે છે. અન્ય ફેન્સે લખ્યું- ખૂબજ દુ:ખદાયક લાગે છે, લાગે છે અમિતાભ સર શબ્દોની કમી પડી ગઈ છે, કદાચ કંઈક લખવા ઈચ્છતા હતા પહેલગામ પર.

  • Related Posts

    સલમાન ખાને કર્યો હતો રણવીર સિંહ અને ફરહાન વચ્ચે સમાધાનનો પ્રયાસ? ચોંકાવનારી હકીકત સામે આવી ગઈ!

    મુંબઈઃ રણવીર સિંહે ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-3’ માંથી અણધારી એક્ઝિટ લઈ લેતા આ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી રણવીર સિંહે આ ફિલ્મ છોડી છે ત્યારથી એની મુશ્કેલીઓમાં વધારો…

    ‘ચાંદમેરા દિલ’ ફિલ્મમાંથી kissing scene કાપાયો, સેન્સર બોર્ડનો નિર્ણય ચર્ચામાં

    બોલિવૂડ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ હાલમાં ચર્ચામાં આવી છે. ફિલ્મના ટ્રેલર અને રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડ દ્વારા તેમાં દર્શાવવામાં આવેલ kissing scene પર કાપ મૂકવામાં આવ્યો છે. માહિતી મુજબ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *