અમેરિકાથી પાછા ધકેલાયેલા ‘ગુજરાતી’ઓના નિવેદન લેવાનું શરૂ: કાનુની કાર્યવાહી નહીં થાય

અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 33 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે.

જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે માત્ર નિવેદનની પ્રક્રિયા પૂર્ણ કરીને ગૃહવિભાગને રિપોર્ટ મોકલવામાં આવશે.ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા પહોંચેલા 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાવવાના મામલે રાજ્યના ગૃહવિભાગે કાયદાકીય કાર્યવાહી અનુસંધાનમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમા ગેરકાયદે અમેરિકા ગયેલા લોકો વિરૃદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. આ લોકો જે એજન્ટોની મદદથી અમેરિકા પહોંચ્યા હતા. તે એજન્ટોના નેટવર્કની તમામ કડી મેળવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.

જે અનુસંધાનમાં પોલીસે 37 લોકોને તેમના વતન પર સલામત પહોંચતા કરવાની સાથે નિવેદન નોંધવાની કામગીરી પણ શરૂ કરી છે.જ્યારે કેટલાંક કિસ્સામાં તેમના પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. આ માટે તમામ જિલ્લા પોલીસ વડાને તેમની લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. તમામ લોકોના નિવેદન નોંધાયા બાદ રિપોર્ટ તૈયાર કરીને ગૃહવિભાગને સોંપવામાં આવશે. જેના આધારે એજન્ટોના નેટવર્ક અંગે તપાસ કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાશે.

  • News Reporter

    Related Posts

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *