અમદાવાદમાં પોલીસ વાને કારને ટક્કર મારી, 10 ફૂટ દૂર ફંગોળાઈ કાર, ડ્રાઈવર પાસેથી મળ્યો ‘નશાનો સામાન’કપ સીરપ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. 14 નવેમ્બરની રાત્રે SG હાઈ-વે પર MBAના વિદ્યાર્થીએ બે હોમગાર્ડને કારથી ઉડાવ્યા પછી, તેની બીજા જ દિવસે એટલે કે 15 નવેમ્બરની મોડીરાત્રે ગોતા–વંદે માતરમ રોડ પર પોલીસની PCR વાન દ્વારા વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો. લોકોમાં આ ઘટનાને લઈ ભારે ચિંતા છે, કારણ કે આ વખતે અકસ્માત કરનાર સામાન્ય નાગરિક નહીં પણ પોલીસની વાનનો ચાલક હતો.

ગોતા વિસ્તારમાં શાયોના તિલક પાસે કારચાલકે પોતાની કાર માત્ર એક મિનિટ પહેલાં સાઇડમાં પાર્ક કરી હતી. તે અંદર જ બેઠો હતો કે પાછળથી પૂરઝડપે આવી રહેલી 112 જનરક્ષક વાનએ પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી શક્તિશાળી હતી કે કાર લગભગ 10 ફૂટ સુધી ધકેલાઈ ગઈ. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેનાથી વાનની ઝડપ સ્પષ્ટ દેખાઈ આવે છે અને અકસ્માત કેવી રીતે થયો તે પણ સમજાય છે.

અકસ્માત થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા. લોકોએ તરત જ PCR વાનની અંદર તપાસ શરૂ કરી અને ત્યાંથી તૂટેલી હાલતમાં કફ સીરપની બોટલ બહાર આવી. લોકોનો આક્ષેપ છે કે વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને એના કારણે જ આ અકસ્માત થયો. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસ બંને ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એન.એ. દેસાઈએ જણાવ્યું કે PCR વાન ચાલકને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે જેથી નશો હતો કે નહીં તે જાણી શકાય. કારમાંથી મળી આવેલી સીરપની બોટલ બાબતે સોલા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને વાન ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી આગળ વધારી છે. પોલીસના જ વાહન દ્વારા સર્જાયેલા આ અકસ્માતે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

અમદાવાદમાં ભય અને અસુરક્ષા વધારી છે. શહેરના લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે પોલીસની જ PCR વાન અકસ્માત કરતી હોય અને યુવાન નશામાં વાહન હંકારતા હોય, ત્યારે રસ્તાઓ પર સલામતીનું શું? ઝડપ, બેદરકારી અને નશો—આ ત્રણેય કારણો ફરી સ્પષ્ટ કરે છે કે ટ્રાફિક નિયંત્રણ અને કડક કાર્યવાહી વિના શહેરમાં અકસ્માતો કરતાં અટકાવવાનું મુશ્કેલ છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *