અમદાવાદમાં પાલતુ શ્વાનનો બાળક ઉપર હિંસક હુમલો : શ્વાન માલિક સામે ફરિયાદ : ગુનો દાખલ

અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બાળક બિલ્ડિંગની નજીક રમી રહ્યું હતું. તે સમયે શ્વાનનો માલિક તેને સોસાયટીમાં ફેરવી રહ્યો હતો. અચાનક જ શ્વાને બાળક પર હુમલો કર્યો અને તેને બચકું ભરી લેતાં બાળક ઈજાગ્રસ્ત થયું હતું.આ ઘટના બાદ બાળકના પરિવારે તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને શ્વાનના માલિક વિરુદ્ધ બેદરકારી બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે.

રામોલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાલતું પ્રાણી પર યોગ્ય નિયંત્રણ ન રાખવા અને સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ શ્વાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *