અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી.

અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર જ બેસી ગઈ હતી. જે બાદ થોડા સમય પછી તે તરત જ તે ત્યાં જ ઢળી પડી હતી. જોકે શાળાના શિક્ષકોને વિશે જાણ થતા જ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મોતનું પ્રાથમિક કારણ કાર્ડિયાક એરેસ્ટ થયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીનાં વાલી હાલ મુંબઈ છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી. બાળકીના મોતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 8 વર્ષની બાળકી 49 સેકન્ડમાં જ મોતને ભેટે છે.

કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેનાં દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેનાં માતા-પિતા હાલમાં મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *