અજિત પવાર પ્લેન ક્રેશ, લેન્ડિંગ બાદ વિમાનમાં આગ લાગી

બારામતી એરપોર્ટ પર NCP વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નું વિમાન ક્રેશ થયા બાદ રનવે પાસે આગની લપેટમાં આવ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ છ લોકોના મોત થયા છે. આ ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ઘટનાસ્થળના વીડિયોમાં ચાર્ટર્ડ ફ્લાઇટના અવશેષોમાંથી આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો નીકળતો જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં બચાવ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે રાહત બચાવ કામગીરી કરતા દેખાય છે. DGCA એ પાછળથી કહ્યું કે ક્રેશમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી.અહેવાલો અનુસાર, પવારે જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવા માટે પુણે પહોંચવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. અજિત પવાર પુણેમાં ચાર પ્રચાર રેલીઓમાં હાજરી આપવાના હતા.

એરપોર્ટની બાજુમાં દુકાન ધરાવતા એક દર્શકે જણાવ્યું કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતા પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો. લેન્ડિંગ કરતી વખતે વિમાન ખૂબ અવાજ કરી રહ્યું હતું તેથી મારું ધ્યાન તેના પર ગયું. તે ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ રનવે પરથી ઉતરી ગયું અને ફિલ્મોમાં બતાવે છે તેવો મોટો વિસ્ફોટ થયો.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *