અજિત પવાર પ્લેન ક્રેશ, લેન્ડિંગ બાદ વિમાનમાં આગ લાગી

બારામતી એરપોર્ટ પર NCP વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નું વિમાન ક્રેશ થયા બાદ રનવે પાસે આગની લપેટમાં આવ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ છ લોકોના મોત થયા છે. આ ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ઘટનાસ્થળના વીડિયોમાં ચાર્ટર્ડ ફ્લાઇટના અવશેષોમાંથી આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો નીકળતો જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં બચાવ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે રાહત બચાવ કામગીરી કરતા દેખાય છે. DGCA એ પાછળથી કહ્યું કે ક્રેશમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી.અહેવાલો અનુસાર, પવારે જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવા માટે પુણે પહોંચવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. અજિત પવાર પુણેમાં ચાર પ્રચાર રેલીઓમાં હાજરી આપવાના હતા.

એરપોર્ટની બાજુમાં દુકાન ધરાવતા એક દર્શકે જણાવ્યું કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતા પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો. લેન્ડિંગ કરતી વખતે વિમાન ખૂબ અવાજ કરી રહ્યું હતું તેથી મારું ધ્યાન તેના પર ગયું. તે ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ રનવે પરથી ઉતરી ગયું અને ફિલ્મોમાં બતાવે છે તેવો મોટો વિસ્ફોટ થયો.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *