અમદાવાદ: વસ્ત્રાપુરમાં આવેલ ‘અર્બન ખીચડી’ની દાળમાંથી મૃત ‘વંદો’ નીકળ્યો! ગ્રાહકને થયો કડવો અનુભવ

અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરમાં વધુ એક હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને શહેરના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અર્બન ખીચડીની દાળમાં મૃત વંદો ગ્રાહકને પીરસવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં રહેતા અને ગુજરાતી ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોનીએ ‘અર્બન ખીચડી’ નામની હોટેલમાંથી દાળ તડકા અને ઝીરા રાઈસ સહિત ભોજન મંગાવ્યું હતું. જેમાંથી તેમણે એક ડિશ ખાઈ લીધી હતી પરંતુ અન્ય દાળ તડકાનું બોક્ષ ખોલતા જ તેઓ ડરી ગયા હતા. કારણ કે તેમણે જે દાળ તડકાનું બોક્ષ ખોલ્યું હતું, તેમાંથી મૃત વંદો નિકળ્યો હતો. જે બાદ તેઓએ તાત્કાલિક અર્બન ખીચડીના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે બનેલી ઘટના વિશે વિગતો આપી હતી. જોકે અર્બન ખીચડીના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી અવની સોનીએ પોતાની સાથે બનેલી આ વિચિત્ર ઘટના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

અમદાવાદ શહેરમાં રહેતા અને ગુજરાતી ફિલ્મોમાં કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોનીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે,”ઘરેથી કામ કરવાનો દિવસ મારા અને મારી ટીમ માટે આજે એક દુઃસ્વપ્ન બની ગયો. અમે સ્વિગી દ્વારા અમદાવાદની IIM શાખા – અર્બન ખીચડીથી ભોજન મંગાવ્યું હતું. અમારો ઓર્ડર: 2 દાળ-ભાત કોમ્બો અને 3 ખીચડી. અમે બધા એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાંથી સારા, ઘરેલું ભોજનનો આનંદ માણવાની માનસિકતામાં હતા. પરંતુ પછી જે બન્યું તે ભયાનક અને આઘાતજનક હતું. મારા એક સાથીએ દાળ-ભાત કોમ્બો પહેલેથી જ ખાઈ લીધો હતો. બીજા સાથીએ હમણાં જ દાળ-ભાતનું બોક્સ ખોલ્યું અને દાળમાં એક મૃત વંદો તરતો મળ્યો. મેં તરત જ રેસ્ટોરન્ટમાં ફોન કર્યો, મેનેજર સાથે વાત કરવાની માંગ કરી, અને વોટ્સએપ પર પુરાવા (તસવીરો) પણ શેર કર્યા. અને મને શું જવાબ મળ્યો? “મૅડમ, અમે તાજેતરમાં જ જીવાત નિયંત્રણ સારવાર કરી હતી… હું માફી માંગુ છું, મને ફક્ત તમારી રકમ પરત કરવા દો.” જ્યારે મેં માલિકનો નંબર માંગ્યો, ત્યારે જવાબ વધુ આઘાતજનક હતો.. “માલિક દાંડિયા સીઝનમાં વ્યસ્ત છે અને વાત કરી શકતો નથી.” હું દરેકને વિનંતી કરું છું કે આને આગળ શેર કરો અને અર્બન ખીચડીમાંથી ઓર્ડર આપતા પહેલા બે વાર વિચાર કરો, કારણ કે કોઈને પણ આપણે જે કર્યું તેમાંથી પસાર થવું ન જોઈએ.”

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *