બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં — અયોધ્યામાં વધુ જમીન ખરીદી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ તેમને 10617 વર્ગ મીટર જમીન 25 કરોડ રૂપિયામાં વેચી છે.અમિતાભ બચ્ચન તરફથી સબરજીસ્ટ્રાર કાર્યાલયમાં પાવર ઓફ એટર્ની રાજેશ ઋષિદેવ યાદવે હસ્તાક્ષર કર્યા. જયારે વિક્રેતા કંપની તરફથી અધિકૃત પ્રતિનિધિ પવન શારદાએ રજીસ્ટ્રી કરી.

ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મસ્તરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જમીન 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદાઈ છે. જમીનના આ સોદા માટે એક કરોડ 76 લાખ 40 હજાર સ્ટેમ્પ ડયુટી જમા કરાઈ છે.રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2024માં આ જમીન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    વાસદમાં બાળકીની હત્યા: આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કરતા પોલીસે ચલાવી ગોળી, સારવાર દરમિયાન મોત

    આણંદ: વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના જઘન્ય કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારની પોલીસ સાથે થયેલી અથડામણ બાદ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વાસદમાં બનેલી બાળકીના…

    અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો, મહિલા પાસેથી ₹34 લાખનું સોનું જપ્ત

    અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *