તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી

તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે તેમને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાસભાગમાં એક 39 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું..પોલીસે સંધ્યા થિયેટર મેનેજમેન્ટ, અભિનેતા અને તેની સુરક્ષા ટીમ સામે કેસ દાખલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને અગાઉથી કોઈ સૂચના ન હતી કે ફિલ્મની ટીમ પ્રીમિયર માટે આવશે.

રશ્મિકા મંદાનાએ ટ્વિટ કરીને અલ્લુ અર્જુનની ધરપકડ પર હેરાની વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું શું જોઈ રહી છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખ પહોંચાડનારો હતો. જોકે એ જોવું પણ દુઃખની વાત છે કે બધો દોષ એક જ વ્યક્તિ પર ઢોળાઈ રહ્યો છે. સ્થિતિ પરેશાન કરનારી અને દિલ દુભાવનાર બંને છે.

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં એક મહિલાના મોતને લઈને હૈદરાબાદ પોલીસ દ્વારા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ પર કહ્યું કે મને જાણવા દો, પછી હું તમને કહીશ.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *