ક્રિસમસ-નવા વર્ષે ‘ગ્રીન ફટાકડા’ જ ફોડી શકાશે: 35 મીનીટની મર્યાદા: જાહેર રસ્તા પર મનાઈ

નાતાલ પર્વ એ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણીનો વાર્ષિક તહેવાર જે 25મી ડિસેમ્બરનાં રોજ વિશ્વભરમાં ઉજવાઈ છે. આગામી ગુરુવારે 25મી ડિસેમ્બરે ગુજરાત રાજયભરના શહેરો- ગ્રામ્ય વિસ્તારોમાં થનાર ઉજવણી દરમિયાન રાત્રીના આતશબાજી થતી હોય અમદાવાદ પોલીસ કમિશ્ર્નરે પ્રદુષણ અને ધુમાડો ફેલાવતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી સુપ્રીમ કોર્ટની માન્યતા પ્રાપ્ત માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાશે તેવો આદેશ ફરમાવ્યો છે.

અમદાવાદ મહાનગરમાં દર વર્ષે નાતાલ પર્વમાં અનેકવિધ ખ્રિસ્ત સંસ્થાઓ, અંગ્રેજી શાળાઓ અને શાળા આસપાસ તેમજ સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડી પ્રદુષણ સાથે ધ્વની પ્રદુષણ ફેલાવતા હોય તે બાબતોને ધ્યાને લઈ આ વર્ષે અમદાવાદ પોલીસ કમિશ્ર્નર દ્વારા માત્ર 35 મીનીટ જ ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે તેવુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. ધાર્મિક સંસ્થા, હોસ્પિટલ, જાહેર માર્ગ, સ્કુલ આસપાસના 100 મીટર સાયલન્ટ ઝોન જાહેર કર્યા છે.

આ પ્રકારના સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડી શકાશે નહી. સુપ્રીમકોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે તે પણ માત્ર 35 મીનીટ જ ફોડી શકાશે. જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *