ક્રિસમસ-નવા વર્ષે ‘ગ્રીન ફટાકડા’ જ ફોડી શકાશે: 35 મીનીટની મર્યાદા: જાહેર રસ્તા પર મનાઈ

નાતાલ પર્વ એ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણીનો વાર્ષિક તહેવાર જે 25મી ડિસેમ્બરનાં રોજ વિશ્વભરમાં ઉજવાઈ છે. આગામી ગુરુવારે 25મી ડિસેમ્બરે ગુજરાત રાજયભરના શહેરો- ગ્રામ્ય વિસ્તારોમાં થનાર ઉજવણી દરમિયાન રાત્રીના આતશબાજી થતી હોય અમદાવાદ પોલીસ કમિશ્ર્નરે પ્રદુષણ અને ધુમાડો ફેલાવતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી સુપ્રીમ કોર્ટની માન્યતા પ્રાપ્ત માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાશે તેવો આદેશ ફરમાવ્યો છે.

અમદાવાદ મહાનગરમાં દર વર્ષે નાતાલ પર્વમાં અનેકવિધ ખ્રિસ્ત સંસ્થાઓ, અંગ્રેજી શાળાઓ અને શાળા આસપાસ તેમજ સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડી પ્રદુષણ સાથે ધ્વની પ્રદુષણ ફેલાવતા હોય તે બાબતોને ધ્યાને લઈ આ વર્ષે અમદાવાદ પોલીસ કમિશ્ર્નર દ્વારા માત્ર 35 મીનીટ જ ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે તેવુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. ધાર્મિક સંસ્થા, હોસ્પિટલ, જાહેર માર્ગ, સ્કુલ આસપાસના 100 મીટર સાયલન્ટ ઝોન જાહેર કર્યા છે.

આ પ્રકારના સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડી શકાશે નહી. સુપ્રીમકોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે તે પણ માત્ર 35 મીનીટ જ ફોડી શકાશે. જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *