આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી

આણંદ: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે આંગણવાડી કેન્દ્રોને સુંદર રોશની અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યા હતા. નાનકડા ભૂલકાંઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન આંગણવાડીના બાળકો શ્રીકૃષ્ણ અને રાધાજીના મનમોહક વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, બાળલીલાઓ તેમજ જન્માષ્ટમીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી.

બાળકોએ શ્રીકૃષ્ણના બાળસ્વરૂપને અનુરૂપ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં વિશેષ ‘મટકી ફોડ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત કૃષ્ણ ભજનો અને મધુર બાળગીતોની ગુંજથી સમગ્ર આંગણવાડી પરિસર કૃષ્ણમય બની ગયું હતું. નાનકડા ભૂલકાંઓની સાંસ્કૃતિક કૃતિઓ અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમમાં અનોખી રોનક જોવા મળી હતી.

બાળવયથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય

જન્માષ્ટમીની આ ઉજવણીના માધ્યમથી બાળવયથી જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યે આદર તથા જાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આંગણવાડી કાર્યકર બહેનોના આયોજન અને મહેનતના પરિણામે જન્માષ્ટમીની ઉજવણી બાળકો તેમજ વાલીઓ માટે આનંદદાયક, પ્રેરણાદાયી અને યાદગાર બની રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રો કાનુડાના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યા હતા.

  • Related Posts

    પેટલાદના શાહપુર અને પાળજમાં પૂર પીડિતો તથા વીમા લાભાર્થીઓને રૂ. ૧૨.૯૮ લાખથી વધુની સહાયના ચેક વિતરણ

    આણંદ : પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તેમજ દૂધ મંડળીની અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના…

    કપડવંજમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ: ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે વાંચનપ્રેમીઓને અનમોલ ભેટ

    કપડવંજ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની વાંચનપ્રેમી જનતાને અનમોલ ભેટરૂપે સરકારી તાલુકા ગ્રંથાલય, કપડવંજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કપડવંજ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *