અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તેની ટિકિટના દરની જાહેરાત કરવામાં આવી છે.
ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો
આ વર્ષે ફ્લાવર શો જોવા માટે શહેરીજનોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે. સામાન્ય દિવસોમાં ફ્લાવર શો જોવાની ટિકિટનો દર 80 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે રવિવાર અને જાહેર રજાના દિવસે ફ્લાવર શોની ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
સૈન્ય જવાનો-દિવ્યાંગોને નિઃશુલ્ક પ્રવેશ
આ ઉપરાંત ફ્લાવર શોમાં દિવ્યાંગ, સૈન્ય જવાનો સહિત મહાનગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે પણ પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.






