અજિત પવાર પ્લેન ક્રેશ, લેન્ડિંગ બાદ વિમાનમાં આગ લાગી

બારામતી એરપોર્ટ પર NCP વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નું વિમાન ક્રેશ થયા બાદ રનવે પાસે આગની લપેટમાં આવ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ છ લોકોના મોત થયા છે. આ ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ઘટનાસ્થળના વીડિયોમાં ચાર્ટર્ડ ફ્લાઇટના અવશેષોમાંથી આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો નીકળતો જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં બચાવ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે રાહત બચાવ કામગીરી કરતા દેખાય છે. DGCA એ પાછળથી કહ્યું કે ક્રેશમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી.અહેવાલો અનુસાર, પવારે જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવા માટે પુણે પહોંચવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. અજિત પવાર પુણેમાં ચાર પ્રચાર રેલીઓમાં હાજરી આપવાના હતા.

એરપોર્ટની બાજુમાં દુકાન ધરાવતા એક દર્શકે જણાવ્યું કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતા પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો. લેન્ડિંગ કરતી વખતે વિમાન ખૂબ અવાજ કરી રહ્યું હતું તેથી મારું ધ્યાન તેના પર ગયું. તે ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ રનવે પરથી ઉતરી ગયું અને ફિલ્મોમાં બતાવે છે તેવો મોટો વિસ્ફોટ થયો.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *