અમદાવાદના સ્થાપના દિવસે જ નગરદેવી ભ્રદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા

અમદાવાદમાં બુધવારે 614 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવી હતી. મંદિરના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ આ અવસરે જણાવ્યું હતું કે, આ અમારા માટે ખુશીનો લ્હાવો છે.

અમદાવાદનું નામ આખી દુનિયામાં ફેલાયેલું છે. અમારી પણ તે જ મનોકામના છે. 614 વર્ષ બાદ આ યાત્રા નિકળી છે માટે આજનો દિવસ તમામ શહેરીજનો માટે મહત્ત્વનો બની ગયો છે.

આ નગરયાત્રા સવારે ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ હતી. રથમાં માતા ભદ્રકાળીના પાદુકા શણગારીને લગભગ 6.25 કિલોમીટરના રૂટ પર શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. યાત્રાનો રૂટ ત્રણ દરવાજા, માણેકચોક, ખમાસા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિર થઈને સાબરમતી નદી સુધીનો છે. સાબરમતીની આરતી કર્યા પછી યાત્રા તેના મંદિરમાં પરત ફરશે. યાત્રા પૂર્ણ થયા પછી, નિજ મંદિરમાં હવન અને ભંડારનું આયોજન કરવામાં આવશે. દર વર્ષે હવે આ રીતે નગર દેવીની યાત્રા કાઢવામાં આવશે. નગરયાત્રાનું મુખ્ય આકર્ષણ 5000 થી વધુ ભક્તો, સંતો અને ભક્તો સાથે મા ભદ્રકાળીનો રથ છે.

શોભાયાત્રામાં જગન્નાથ મંદિરનો હાથી, ત્રણ ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ-વ્હીલર, પાંચ માલવાહક વાહનો, નાસિક ઢોલનુ ગ્રુપ, પાંચ સાધુ કી ધજા, એક બેન્ડ બાજા અને એક ડીજે ટ્રકનો સમાવેશ થાય છે. નગર દેવી યાત્રા દરમિયાન શોભાયાત્રાના રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *