કેનેડામાં લેન્ડ થતા જ પ્લેન પલટી ખાઈ ક્રેશ થયું; રન-વે પર આળોટતું હોય એમ ઢસડાતા આગ લાગી

કેનેડામાં ડેલ્ટા એરલાઈનનું પ્લેન ક્રેશ થઈ એરપોર્ટ પર જ પલટી ખાઈ ગયું હતું. જેના કારણે તે લેન્ડ થતા જ રન-વે પર આળોટતું હોય એમ ઢસડાયું હતું. બાદમાં આ પ્લેનમાં આગ ફાટી નીકળી હતી, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે રનવેની સરફેસ ઘણી સ્લિપરી હતી જેથી કરીને પ્લેન લેન્ડ થતા જ પલટી મારી ગયું અને પછી આ દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આમાં કૂલ 18 લોકો ઘાયલ થયા છે.

કેનેડાના ટોરંટો એરપોર્ટ પર ભયાનક રીતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. લેન્ડિંગ કરતા સમયે ડેલ્ટા એરલાઈનનું પ્લેન ઊંધુ થઈ ગયુ અને પલટી ખાઈ જતા અંદર બેઠેલા પેસેન્જર્સ બુમાબુમ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટોરંટો એરપોર્ટની સરફેસ સ્લિપરી હતી અને બરફથી થીજેલી હતી. તેવામાં લેન્ડિંગ કરતા સમયે પ્લેન આખુ ઊંધુ પલટી ખાઈ ગયું અને પછી દૂર સુધી ઢસડાયું હતું. આ સમયે પ્લેનમાં કૂલ 80 લોકો સવાર હતા, જેમાંથી 76 પેસેન્જર્સ અને 4 ક્રૂ મેમ્બર્સ હાજર હતા. ડેલ્ટા એરલાઈન્સની આ ફ્લાઈટ મિનિયાપોલિસથી ટોરંટો આવી રહી હતી. તેવામાં લેન્ડિંગ દરમિયાન પ્લેનનો કંટ્રોલ પાયલટે ગુમાવી દીધો હતો અને તે પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનાથી એરપોર્ટ પર પણ અફરા તફરી મચી ગઈ હતી. ઈમરજન્સી ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ પેસેન્જર્સને તરત બહાર કાઢી દીધા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે એવી માહિતી સામે આવી રહી છે.

કેનેડામાં થયેલા ભયાનક પ્લેન ક્રેશના વીડિયોઝ પણ અત્યારે સામે આવ્યા છે. જેમાં બરફથી થીજેલા રન-વે પર ડેલ્ટા એરલાઈનનું પ્લેન જેવું લેન્ડ થયું કે તરત જ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને અચાનક આગ લાગી ગઈ હતી. બાદમાં કાળા ધુમાડાનો વાદળ જોવા મળ્યો અને તે પલટી પણ ખાઈ ગયું હતું. ચારેય તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો. આ આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફ્લાઈટ પર પાણી છાંટવા લાગી હતી.

ફ્લાઈટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

જેટલાઈનરથી ધુમાડો નીકળવા લાગ્યો અને તે ક્રેશ થયું પછી રન-વે પર આળોટતું હોય એમ ઢસડાયું હતું. આ દરમિયાન સરફેસ પર તે પલટાઈ જતા આગ પણ લાગી ગઈ હતી અને કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. બાદમાં એરપોર્ટ પર પણ અફરા તફરી મચી ગઈ અને આ ઘટના પછી ઓથોરિટીએ તમામ ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દીધી હતી. જેથી કરીને બીજી કોઈ ફ્લાઈટ સાથે આવી ઘટના ન બને અને સરફેસ પર લપસી ન જાય.

  • News Reporter

    Related Posts

    અમદાવાદના દિલ્લી દરવાજા પાસેથી જૂથ અથડામણ, કતલખાને લઈ જતા પશુઓનો કરાયો બચાવ

    ગુજરાતમાં અનેક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા…

    અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

    શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *