જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત

મુંબઈઃ ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન છૂટાછેડા લેશ. તેની પત્નીએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે.

એ આર રહેમાનની પત્નીના વકીલે પબ્લિક સ્ટેટમેંટ જાહેર કરીને કહ્યું, લગ્નના વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ. આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણા તણાવ પછી આ પગલું લેવામાં આવ્યું છે. બંને વચ્ચે ઊંડો પ્રેમ હોવા છતાં, મુશ્કેલીઓ અને તણાવે એક અંતર ઊભું કર્યું હતું. જેને કોઈ પણ પક્ષ ઠીક કરી શકે તેમ નથી. શ્રીમતી સાયરાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પીડા અને વેદનાને કારણે લેવામાં આવ્યો છે. તેણી પોતાના જીવનના આ પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી આ મુશ્કેલ સમયમાં લોકો પાસેથી ગોપનીયતાની અપીલ કરે છે.

એ. આર. રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે-ખતીજા, રહીમા અને અમીન. રહેમાને એકવાર ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન તેની માતાએ નક્કી કર્યા હતા. બંને વચ્ચે કેટલાક મતભેદો હતા, પરંતુ આ હોવા છતાં તેઓ તેમના સંબંધોને સારી રીતે ચલાવી રહ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને કહ્યું હતું, સાચું કહું તો, મારી પાસે પત્ની શોધવાનો સમય નહોતો. પરંતુ મને સમજાયું કે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષની હતો, તેથી મેં મારી માતાને કહ્યું, મને એક કન્યા શોધી આપો.

રહેમાને 1989માં અપનાવ્યો હતો ઈસ્લામ ધર્મ

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે ઓસ્કાર જીતનાર એ. આર. રહેમાનને ભારતના સૌથી મોટા સંગીતકાર માનવામાં આવે છે. તેઓ “મા તુઝે સલામ”, “ઓ હમદમ સુનિઓ રે” અને “તેરે બિના” જેવા ગીતો માટે જાણીતા છે. રહેમાને 1989માં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન રાખ્યું હતું. તેમની પત્ની સાયરા બાનુ અભિનેતા રશિન રહેમાનની સંબંધી છે.

  • Related Posts

    ખલનાયક રિટર્ન્સ: સંજય દત્ત 32 વર્ષ પછી ‘બલ્લુ’ તરીકે વાપસી, ફર્સ્ટ લુક

    મૂળ ફિલ્મ રિલીઝ થયાના 32 વર્ષ પછી અભિનેતા સંજય દત્તે ખલનાયક રિટર્ન્સની સત્તાવાર જાહેરાત કરી છે. 1993 ની આ ક્લાસિક ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનુપમ ખેર, રાખી ગુલઝાર અને જેકી શ્રોફ…

    ધુરંધરનું વિશ્વભરનું કલેકશન ધમાકેદાર – માત્ર 6 દિવસમાં ₹2,000 કરોડની કમાણી!

    ધુરંધર સિરીઝ હવે 2,000 કરોડ રૂપિયાની કમાણી ધરાવતી બની ગઈ છે. આ એકમાત્ર ભારતીય ફ્રેન્ચાઈઝીની ફિલ્મો છે જેની બે ફિલ્મો 500-500 કરોડ ક્લબમાં સામેલ છે અને હજુ ધુરંધર 2 ફિલ્મે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *