અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે

શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા, જેમની પાસે પોતાની ભારતીય ઓળખના પુરાવા ન હોય તેવા 200 થી 250 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાંથી ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે ત્યારે 200 જેટલા લોકોની પૂછપરછ હજુ ચાલુ છે.

કેવી રીતે પોલીસને થઈ જાણ?

આ સમગ્ર ઘટના વિશે વાત કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, “પોલીસને માહિતી મળી હતી કે કેટલાક બાંગલાદેશી લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. જેના આધારે 3થી 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરતાં 200 જેટલા લોકો આવી રીતે અમદાવાદમાં ગેરકાયદે રહેતા હોવાની માહિતી મળી છે. હાલ આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, બાદમાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”

પોલીસે શરૂ કરી તપાસ

હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ લોકો પાસે નકલી દસ્તાવેજો કેવી રીતે આવ્યા ? કોના દ્વારા બનાવવામાં આવ્યા ? કેટલા સમયથી તે શહેરમાં વસવાટ કરે છે ? બાંગ્લાદેશી અહીં કેવી રીતે આવ્યા ? તેમની સાથે હજુ કેટલા લોકો જોડાયેલા છે? વગેરે બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.કુબેરનગરમાં વસવાટ કરતા આ લોકો પાસેથી મળેલા ઓળખના દસ્તાવેજો પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે. દસ્તાવેજી પુરાવા પ્રમાણે તેઓ ખરેખર ભારતીય નહીં પરંતુ બાંગ્લાદેશી નાગરિક છે તેવું સ્પષ્ટ જાણવા મળ્યું હ.તું સાથે તેમની પાસે મળેલા મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓમાંથી પણ બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા ક્રાઈમ બ્રાન્ચને મળ્યા હોવાનું સામે આવ્યું છે.પુરુષો છૂટક મજૂરી અને મહિલાઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતીવધુમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ભરત પટેલે જણાવ્યું હતું કે, “હાલ જે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે તેમાં સામે આવ્યું છે કે, જે લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. તેમાંથી પુરુષો છૂટક મજૂરી કરે છે અને મહિલાઓ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. હાલ પોલીસ દ્વારા આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.”

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *