મહાશિવરાત્રી ક્યારે છે 15 કે 16 ફેબ્રુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ

વૈદિક પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા વદ ચૌદસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાદેવ શિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. આ શુભ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને મહાદેવની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ વર્ષે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે. આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત.

મહા વદ ચૌદસની તિથિ 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ સાંજે 5:04 વાગ્યે શરૂ થશે. બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીને સોમવારે સાંજે 5.34 વાગ્યે ચતુર્દશી તિથિ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.

મહા શિવરાત્રી 2026 પર ચાર પહરનું પૂજન મુહૂર્ત

• પ્રથમ પ્રહર પૂજાનો સમય: 15 ફેબ્રુઆરીએ સાંજે 6.11 વાગ્યાથી 9.22 વાગ્યા સુધી રહેશે.

• બીજી પ્રહર પૂજાનો સમય : 15 ફેબ્રુઆરીએ રાત્રે 9.23 થી 16 ફેબ્રુઆરીએ રાત્રે 12.34 વાગ્યા સુધી રહેશે.

• ત્રીજી પ્રહર પૂજાનો સમય : 16 ફેબ્રુઆરીએ રાત્રે 12.35 થી સવારે 3.46 વાગ્યા સુધી રહેશે.

• ચોથી પ્રહર પૂજાનો સમય : 16 ફેબ્રુઆરીએ સવારે 3.46 થી સવારે 6.59 સુધી રહેશે.

મહાશિવરાત્રીનું ધાર્મિક મહત્વ

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. તેથી આ દિવસે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિ તમામ સુખ મેળવી શકે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. તેઓ એક વિશાળ અગ્નિ સ્તંભ (જ્યોતિર્લિંગ) ના રૂપમાં આવ્યા હતા, જેનો કોઈ આદિ અને અંત ન હતો. આ સિવાય મહાશિવરાત્રીની રાત કુંડલિની જાગરણ અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે સાધકોને પરમ જ્ઞાન તરફ લઇ જાય છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *