પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન, કોકિલાબેન હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર, ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા અને ‘ભારત કુમાર’ તરીકે પણ જાણીતા, 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા.આ ઉપરાંત તેઓ ભરત કુમાર તરીકે ઓળખાય છે. આ અભિનેતાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારનું મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું.

24 જુલાઈ 1939ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર બધા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત હતા. મનોજ કુમારે માત્ર અભિનય જ કર્યો ન હતો. પરંતુ શહીદ , ઉપકાર, પૂરબ ઔર પશ્વિમ અને રોટી કપડા ઔર મકાન સહિત અનેક દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમને તેમના કરિયરમાં મોટાભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે.આ ઉપરાંત તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન પણ કર્યું છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *