પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે આધુનિક પશુ દવાખાનું બનશે

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકો માટે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પેટલાદ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે નવા આધુનિક પશુ દવાખાનાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નવા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને હવે પોતાના પશુઓ માટે ઘરઆંગણે જ શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે. રાજ્ય સરકાર પશુપાલકોની સમૃદ્ધિ તથા પશુઓના આરોગ્ય પ્રત્યે સંવેદનશીલ છે અને આ આધુનિક પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પશુપાલકોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુઓને નજીકના સ્થળે જ આધુનિક આરોગ્ય સુવિધાઓ અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે નવા પશુ દવાખાનાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક પશુપાલકોને થશે સીધો લાભ

નવા દવાખાનાના નિર્માણથી પેટલાદ શહેર ઉપરાંત આસપાસના ગામોના પશુપાલકોને પશુઓની સારવાર માટે દૂર જવાની જરૂરિયાત ઘટશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પશુ દવાખાનું પશુ આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કોકીલાબેન તળપદા, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ પટેલ, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આણંદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. ધારા પંચાલ, નાયબ પશુપાલન નિયામક (ICDP) ડૉ. મેહુલ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જીગ્નેશ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ડી. જી. પટેલ સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

  • Related Posts

    પેટલાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’નો પ્રારંભ

    આણંદ : રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ના અનુસંધાનમાં પેટલાદ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પેટલાદની ન્યુ એજ્યુકેશન…

    પ્રેમ, પરિવાર અને મૂળની શોધ: વર્ષો બાદ માતૃછાયાના આંગણે ફરી આવી દીકરી

    આણંદ: કેટલાક સંબંધો માત્ર લોહીના સંબંધોથી નહીં, પરંતુ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને સંવેદનાના તાંતણે બંધાયેલા હોય છે. દત્તક સંબંધ પણ આવો જ સુંદર અને અનોખો સંબંધ છે, જે બાળકને પરિવાર…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *